ગ્રેટિટ્યૂડની ભાવના એટલે શું?
આ લેખમાં સમાવિષ્ટ મુદ્દાઃ-
- ગ્રેટિટ્યૂડની ભાવના એટલે શું?
- કૃતજ્ઞતા અને કૃતઘ્નતા વચ્ચેનું અંતર
- ઉપકાર પર ઉપકાર અને ઉપકાર પર અપકાર
- કૃતજ્ઞતા એક પોઝિટિવ ભાવના છે
પ્રસ્તાવનાઃ-
સામાન્ય રીતે આજકાલ તો પાશ્ચાત્ય રહેણીકરણીને કારણે નાનાં-મોટાં કામનાં બદલામાં પણ 'થેન્ક્સ' કહીને આભાર માનવાનો વ્યવહાર ચાલતો હોય છે.
એટલે કે કોઈ આપણું કોઈ કામ કરે છે અને આપણે તેનો આભાર શબ્દોમાં માનતાં હોઈએ છીએ. પણ જ્યારે ખરેખર એ વ્યક્તિને આપણી જરૂર ઊભી થાય ત્યારે આપણે તેની પડખે ઊભાં રહીએ છીએ ખરાં? આ વિશે આગળ વાંચો.
ગ્રેટિટ્યૂડની ભાવના એટલે શું?
ગ્રેટિટ્યૂડની ભાવના એટલે કૃતજ્ઞતાની ભાવના. કૃતજ્ઞતાથી વિરુદ્ધની ભાવના છે કૃતઘ્નતાની ભાવના. એટલે કે સારી ભાવનાની સામે સારી નહીં પણ ખરાબ ભાવના રાખવી.
ઉપકાર પર ઉપકાર અને ઉપકાર પર અપકારઃ-
એટલે કે તમે કોઈની પ્રત્યે ગ્રેટિટ્યૂડની ભાવના દર્શાવો, તેની પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના દર્શાવો, એટલે કે તે વ્યક્તિના ઉપકાર પ્રત્યે ઉપકાર કરો ત્યારે તે કૃતજ્ઞતાની ભાવના કહેવાય.
પરંતુ જો તમે તેના ઉપકાર પ્રત્યે અપકાર દર્શાવો એટલે કે ઉપકાર પર અપકાર કરો, ખરાબ ભાવનાથી કાર્ય કરો તો તે કૃતઘ્નતાની ભાવના કહેવાય છે. તેને અપકાર કહેવામાં આવે છે.
એક સુંદર ઉદાહરણ દ્વારા આ ગ્રેટિટ્યૂડ એટલે કે કૃતજ્ઞતાની ભાવનાને સમજવાનો પ્રયત્ન કરીએ. તે માટે નીચેના વીડિયો પર ક્લિક કરોઃ-
કૃતજ્ઞતા એક પોઝિટિવિ ભાવના છે
આ વીડિયોમાં આપેલા ઉદાહરણ દ્વારા આપણે જાણ્યું કે ગ્રેટિટ્યૂડ એટલે શું? ગ્રેટિટ્યૂડ-ગ્રેટફૂલનેસ એટલે કે કૃતજ્ઞતાનું આ ઉદાહરણ જીવનમાં એકબીજા પ્રત્યે કૃતજ્ઞતા દાખવવાની અને એ દ્વારા માનવતા રાખવાની વાત કરે છે. ઉપકારની સામે તો ઉપકાર કરવો જ જોઈએ પરંતુ અપકારની સામે પણ ઉપકાર કરનાર વ્યક્તિ ખરેખર એક ઉમદા વ્યક્તિ કહી શકાય. આ સદાચારવૃત્તિનું જીવનમાં આચરણ કરવાથી આપણા વિચારો અને આચરણની સુગંધ અનેકોને એ કાર્ય કરવા પ્રેરિત કરે છે.
ચાલો, આપણે પણ આપણાં જીવનમાં ગ્રેટિટ્યૂડ એટલે કે કૃતજ્ઞતાની ભાવનાનું આચરણ કરીએ. અસ્તુ.